IND vs SL: શ્રીલંકાના પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર

નવી દિલ્હીઃ ભારતીય ટીમ આગામી મહિને શ્રીલંકાના પ્રવાસે જવાની છે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસમાં ત્રણ મેચોની વનડે અને ત્રણ મેચોની ટી20 સિરીઝ રમશે. વને સિરીઝનો પ્રારંભ 13 જુલાઈથી થશે. ત્યારબાદ 21 જુલાઈથી ટી20 સિરીઝની શરૂઆત થશે. આ માટે બીસીસીઆઈએ ટીમની જાહેરાત કરી દીધી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં શિખર ધવન ટીમની કમાન સંભાળશે. આ સાથે અનેક યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

download.jpg

'ટીમમાં ઓપનર તરીકે શિખર ધવન, પૃથ્વી શો, દેવદત્ત પડિક્કલ અને રુતુરાજ ગાયકવાડનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે હાર્દિક પંડ્યા જેવા બેટ્સમેન છે. વિકેટકીપર તરીકે ટીમમાં ઈશાન કિશન અને સંજૂ સેમસન છે. ઓલરાઉન્ડરમાં કૃષ્ણપ્પા ગૌતમ, કૃણાલ પંડ્યા છે. સ્પિનરમાં યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી અને રાહુલ ચાહર છે. ફાસ્ટ બોલિંગમાં ચેતન સાકરિયા, નવદીપ સૈની, રાહુલ ચાહર છે.

India-vs-Sri-Lanka-series-2021-Predicted-Squad-for-Team-India-800x445-1.jpg

વનડે સિરીઝનો ક્રાર્યક્રમ
પ્રથમ વનડે 13 જુલાઈ
બીજી વનડે 16 જુલાઈ
ત્રીજી વનડે 18 જુલાઈ

ટી20 સિરીઝનો ક્રાયક્રમ
પ્રથમ ટી20 21 જુલાઈ
બીજી ટી20 23 જુલાઈ
ત્રીજી ટી20 25 જુલાઈ.



0
0
0.000
0 comments