ટીમ ઈન્ડિયામાં ધૂમ મચાવવા તૈયાર ચેતન સાકરિયા

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (bcci) એ આગામી મહિને શ્રીલંકા સામે વનડે અને ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ પ્રવાસ માટે કુલ 20 ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી ચોંકાવનારૂ નામ ભાવનગરના યુવા ફાસ્ટ બોલર ચેતન સાકરિયાનું છે. ચેતન સાકરિયાએ આ વર્ષે પ્રથમ વખત આઈપીએલમાં પર્દાપણ કરનાર રાજસ્થાન રોયલ્સ વતી સારૂ પ્રદર્શન કર્યુ હતું, તેનું તેને ઈનામ મળ્યું છે.

Uploading image #1...

ભાવનગરના યુવા બોલરે આઈપીએલ-2021ની 7 મેચમાં કુલ 7 વિકેટ પોતાના નામે કરી હતી. આ યુવા બોલરે પોતાના પ્રદર્શનથી અનેક લોકોને પ્રભાવિત કર્યા હતા. હવે ટીમ ઈન્ડિયામાં પણ તેની પસંદગી થઈ છે. ચેતન સાકરિયા સૌરાષ્ટ્રની ટીમ વતી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. ચેતને આઈપીએલના પર્દાપણ મેચમાં જ 31 રન આપી ત્રણ વિકેટ ગુમાવી હતી. રાજસ્થાને તેને ઓક્શનમાં 1.20 કરોડ રૂપિયા આપી ખરીદ્યો હતો.

Uploading image #2...



0
0
0.000
0 comments